અમદાવાદ: કોરોના ઇફેક્ટ, સરકારે વિવિધ ભરતી પરીક્ષાની તારીખોમાં કર્યા ફેરફાર

Update: 2021-03-31 09:33 GMT

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસની મહામારી કહેર વર્તાવી રહી છે. આ ઘાતક મહામારીની અસર શાળા-કોલેજોની પરીક્ષાઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર પણ પડી રહી છે. વકરતાં કોરોનાની અસર ફરી એકવાર સરકારી ભરતીની પ્રક્રિયા પર પડી છે. પરિણામે એપ્રિલ અને મે માસમાં લેવાનારી પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને જીપીએસસીએ નવી તારીખો જાહેર કરી છે. વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 માટે જીપીએસસી દ્વારા નવી તારીખે પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

જીપીએસસી દ્વારા 4 એપ્રિલથી 23 મે દરમિયાન યોજાનારી જુદી જુદી 10 ભરતી પ્રક્રિયાની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષા હવે 18 એપ્રિલે યોજાશે. નાયબ મામલતદાર અથવા સેક્શન અધિકારીની પરીક્ષાની તારીખ 9 મેના રોજ યોજાશે. આ ઉપરાંત સિક્યુરીટી સુપરવાઈઝરની પરીક્ષા 23 મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ 6 જૂનના રોજ લેવાશે. કુલ મળી 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે. જેમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની પરીક્ષા યોજાઈ રહી છે.

Similar News