ભરૂચ : માંડવા પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, પાંચ લોકોનો થયો બચાવ

Update: 2020-11-28 12:42 GMT

અંકલેશ્વરની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલાં માંડવા પાટીયા પાસે  ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.  જો કે કાર માં સવાર બે બાળકો સહીત 5 વ્યક્તિઓનો બચાવ થયો હતો.

અંકલેશ્વર તાલુકાના માંડવા પાટિયા પાસે થી પસાર થતા નેશનલ હાઇવે પર આગળ ચાલતી ટ્રક ના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી કાર ટ્રક સાથે ભટકાય હતી દરમ્યાન કાર ની પાછળ આવતી ટ્રક પણ કાર સાથે અથડાતા કાર સેન્ડવીચ બની ગઈ હતી જો કે કાર માં સવાર બે બાળકો સહીત 5 વ્યક્તિઓ નો આબાદ બચાવ થયો હતો ,આ અકસ્માત ના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા ,આ અકસ્માતની જાણ અંકલેશ્વર પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી આવી ટ્રાફીક પુર્વવત કર્યો હતો.

Tags:    

Similar News