ભરૂચ: કોરોનાના સંક્રમણ વચ્ચે નગર પાલિકાએ સ્પેશ્યલ કોવિડ સ્મશાનનો કોન્ટ્રાક્ટ રીન્યુ ન કર્યો, જુઓ સંચાલકે શું કહ્યું

Update: 2021-03-04 08:33 GMT

રાજ્યના પ્રથમ કોવીડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતી ટીમ તથા તેઓના સંચાલકે ભરૂચ નગરપાલિકા સાથે તેઓનો થયેલ કોન્ટ્રાકટ પૂર્ણ થયો હોવા છતાં માનવતાની દ્રષ્ટીએ સંચાલક તેમજ ટીમે છેલ્લા એક સપ્તાહમાં ૬ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ભરૂચનું દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ગૃહ રહેણાક વિસ્તારમાં આવેલૂ હોઈ સ્થાનિક રહીશોના તંત્ર સાથે થયેલ ઘર્ષણ અને લાંબા વિવાદ બાદ ભરૂચમાં રાજ્યનું પ્રથમ એવું નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે જેનું સંચાલન ધર્મેશ સોલંકી તથા તેઓની ટીમ કરે છે. તેઓ સાથે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રતિ મૃતદેહ રકમ આપવાનો કોન્ટ્રાકટ કરવામાં આવ્યો છે, જે કોન્ટ્રાકટ ગત તારીખ ૧૭મી ફેબૃઅરીના રોજ પૂર્ણ થયો છે. જો કે આ સ્મશાનમાં જીલ્લાના અન્ય વિસ્તારોમાંથી પણ મૃતદેહો આવી રહ્યા છે.

સંચાલક દ્વારા જણાવામાં આવ્યું છે કે તેઓના કોન્ટ્રાકટ માં સવારે ૭ થી સાંજે ૭ સુધી નો સમય છે પરંતુ મૃતદેહો જે પ્રકારે આવી રહ્યા છે તેના કારણે ઘણી વાર રાતે ૧૨ – ૧ વાગી જાય છે. ઉપરાંત જે લોકો આ કાર્ય સાથે સંકળાયેલા છે તેઓને મહેનતાણું પણ પુરતા પ્રમાણમાં નથી મળી રહ્યું. હાલ કોરોનાનું સંક્રમણ ભલે ઓછુ થયું હોઈ પરંતુ દર બે ત્રણ દિવસ ના આંતરે એકાદ બે મૃતદેહ અગ્નિસંસ્કાર માટે આવે છે અને આ સ્વયંસેવકો માનવતાની દ્રષ્ટીએ આજે પણ મૃતદેહોની અંતિમ ક્રિયા કરી રહ્યા છે. જો કે સંચાલક તથા ટીમ તેઓની માંગ ઝડપતી સ્વીકારાય અને સ્મશાનમાં તંત્ર દ્વારા અંતિમ સંસ્કાર માટેની યોગ્ય સામગ્રી પૂરી પડાય તેવી આશા લગાવીને બેઠા છે.

આ ઉપરાંત ભરૂચ નગર પાલિકા સાથે કરાર થયા હતા તે મુબજ શહેરી વિસ્તાર માં નગર પાલિકા ના હદ વિસ્તાર ની હોસ્પીટલો માં કોરોના અને શંકાસ્પદ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સવાર થી ૭ થી સાંજ ના ૭ વાગ્યા સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવો કરાર થયો હતો.પરંતુ ભરૂચ જીલ્લા ના તમામ ૯ તાલુકા માંથી કોરોના અને શંકાસ્પદ મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવા પડી રહ્યા છે. અત્યાર સુધી માં ૪૮૦ જેટલા મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.પરંતુ જે મુજબ ની કામગીરી કરી રહ્યા છે તે મુજબ નું વેતન પણ મળતું નથી.

આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા ભરુચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી સંજય સોનીને પૂછતા તેઓએ જણાવ્યુ હતું કે આરોગ્ય વિભાગ પાસે કોવિડના કારણે થતાં મોતના આંકડા મેળવવામાં આવી રહ્યા છે હાલ જ ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે નવી બોડી સાથે બેસી ચર્ચા વિચારણા બાદ કોન્ટ્રાક્ટ ઋ ન્યુ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે

Tags:    

Similar News