ભરૂચ : નહેરુ યુવા કેન્દ્ર ખાતે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ નિમિત્તે યોજાઇ નિબંધ સ્પર્ધા

Update: 2021-01-23 10:58 GMT

પવિત્ર નર્મદા નદીની તપોવન ભૂમિ ઉપર આવેલ નહેરુ યુવા કેન્દ્ર તથા તપોવન સંસ્કાર કેન્દ્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરમાં શનિવારના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે ઠેરઠેર ઉજવણી પ્રસંગો યોજાઇ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર તથા તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન અનુસાર સાદગીપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સુભાષચંદ્ર બોઝના જીવન ચરીત્ર ઉપર નિબંધ સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા અધિક કલેકટર નિતિન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વિશેષ પ્રાર્થના સહિત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News