અંકલેશ્વર : બાકરોલ બ્રિજ પર ટ્રક સહિત 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહિ
અંકલેશ્વર NH 48 પર એક સાથે 5 વાહનોમાં અકસ્માત અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાભારે ફિક જામની સ્થિતિ સર્જાઈ હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક NH 48 પર એક સાથે 5 વાહનોમાં અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. જેમાં બાકરોલ બ્રિજ પર ટ્રક સહિત 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, સદનસીબે અકસ્માત આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટ્રાંક હળવો કરાવ્યો હતો.