અંકલેશ્વર: પાનોલી જીઆઈડીસીના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા,પોલીસે શોધખોળ હાથ ધરી

પાનોલી જી.આઈ.ડી.સી.ના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા બનતા પોલીસે તરવૈયાઓની મદદ વડે શોધખોળ હાથ ધરી છે.

Update: 2022-03-29 10:08 GMT

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.ના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા બનતા પોલીસે તરવૈયાઓની મદદ વડે શોધખોળ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનનો અને હાલ પાનોલી જી.આઇ.ડી.સી.માં રહેતો 23 વર્ષીય સચિનકુમાર કૈલાસકુમાર દરજી પાનોલી જી.આઈ.ડી.સી.ના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડ્યો હતો જે નહેરના પાણીમાં તળાઈ જતા તે લાપત્તા બન્યો હતો બનાવ અંગે રવીન્દ્રસિંગ નીવાણે તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાની મદદ વડે નહેરમાં લાપત્તા બનેલ યુવાની શોધખોળ હાથ ધરી છે.

Tags:    

Similar News