ભરૂચ: દહેજ નજીક કન્ટેનરની અડફેટે 5 ગાય અને વાછરડાનું મોત

Update: 2021-10-01 10:46 GMT

દહેજના જોલવા ગામની આગળ સુવા ગામ નજીક પાંચ ગાય અને એક વાછરડુ મળી કુલ પશુઓને કન્ટેનર ચાલકે કચડી નાંખી હતી. આ ઘટનાની જાણ થતાં સુવાગામનાં ગૌ સેવા માલધારી સેના અને ટાયગર બ્રધર્સ ગ્રૂપ દ્વારા ગૌ સમાધી આપવામાં આવી હતી.સુવા ગામના ગૌ સેવા માલધારી સેના અને ટાયગર બ્રધર્સ ગ્રુપના આગેવાનો રધુવણઝારા,મેહુલ ભરવાડ, ભાવેશ વૈષ્ણવ, હરેશ ‌ગોહીલ,અંકુર આહીર, અને દિનેશ આહીર દ્વારા ગાયો અને એક વાછરડાની સમાધિ અર્થે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો અને તે ખાડામાં મૃત પામેલી પાંચ ગાય અને એક વાછરડાને સમાધિ આપવામાં આવી હતી 

Tags:    

Similar News