Bharuch : નબીપુરમાં સુગત સ્ટ્રીટમાં DGVCLની લાઈનના કેબલમાં લાગી આગ

Update: 2021-08-15 15:59 GMT

નબીપુરમાં સુગત સ્ટ્રીટમાં DGVCLની લાઈનના કેબલમાં લાગી આગ, નુક્શાનીનો આંક લાઇન ચાલુ થયા પછી સામે આવશે.

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ સુગત સ્ટ્રીટ માંથી પસાર થતી DGVCL ની લો ટેનશન લાઈનનો કેબલ વીજ થાંભલા પરથી ઘર વપરાશના વિજ પુરવઠા માટે પસાર થાય છે. તેમાં સંધ્યા કાળના સમયે અગમ્ય કારણોસર ધડાકાભેર આગ લાગતા સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. સદનસીબે આમાં કોઈ જાનહાની થઈ નથી. આ બનાવની જાણ તુરંત DGVCL ના લોકલ કર્મચારીને કરાતા તેમણે જે તે વિસ્તારનો વીજપુરવઠો બંધ કરી વધુ નુકશાન થતું અટકવું છે. આ લાઇનમા આવતા રહેણાક લોકોના મકાનો અને દુકાનોમાં લાગેલા વીજ ઉપકરણોમાં કેટલું નુકશાન થયું છે તે તો વીજ પુરવઠો ફરી ચાલુ થાય ત્યારેજ ખબર પડે. અત્યારે સ્થાનિક વીજ કર્મચારીઓની સાથે ગ્રામ જનો પણ તેમના કામમાં મદદ કરી રહયા છે.

Tags:    

Similar News