ભરૂચ : હરિધામ સોખડાના પ્રબોધસ્વામી સાથે થયેલ દૂરવ્યવહાર બાદ હરિભક્તોમાં રોષ...

હરિભક્તોએ સંસ્થાના બની બેસેલા પ્રમુખ પ્રેમસ્વરૂપ સ્વામી અને સરલ સ્વામીને સરકાર દ્વારા બરતરફ કરવામાં આવે તેવી માગણી આવેદન પત્ર પાઠવ્યું

Update: 2022-03-15 14:12 GMT

હરિધામ સોખડા સ્વામિનારાયણ સંસ્થામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીની વિદાય બાદ વિવાદ સતત વધી રહ્યા છે. પ્રબોધ સ્વામી સાથે થયેલ દુર્વ્યવહાર બાદ હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. હરિભક્તોએ સંસ્થાના બની બેસેલા પ્રમુખ પ્રેમસ્વરૂપ સ્વામી અને સરલ સ્વામીને સરકાર દ્વારા બરતરફ કરવામાં આવે તેવી માગણી સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું. હરિભક્તોની લાગણી દુભાઈ હોવાથી આ બન્ને સ્વામી માફી માંગી રાજીનામુ નહીં આપે તો હરિધામ મંદિરે આમરણાંત ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Tags:    

Similar News