ભરૂચ : ઇસ્કોન સમિતિ દ્વારા નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, ભક્તોમાં અનેરો ઉત્સાહ...

ઇસ્કોન સમિતિ દ્વારા નીકળી જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના રથને ખેંચ્યો

Update: 2022-07-01 11:39 GMT

ભરૂચ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ઇસ્કોન સમિતિ દ્વારા નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ આસ્થા સાથે ભગવાનના રથને ખેંચ્યો હતો. ઇસ્કોન સમિતિ દ્વારા યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બાળકોએ વિવિધ દેવી-દેવતાઓના વસ્ત્ર ધારણ કર્યા હતા.

ભજન સત્સંગ તેમજ હરે રામા, હરે કૃષ્ણના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બળદ ગાડામાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના શીતલ સર્કલથી ઝાડેશ્વર ગામ સ્થિત કેજીએમ સ્કૂલ ખાતે પહોચી હતી.

Tags:    

Similar News