ભરૂચ : ઝઘડીયાના ભાલોદ-પ્રાંકડ ગામ નજીક સર્જાયો માર્ગ અકસ્માત, 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ રોડ પર આવેલા પ્રાંકડ ગામ નજીક માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.

Update: 2022-05-14 13:05 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ રોડ પર આવેલા પ્રાંકડ ગામ નજીક માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. બનાવના પગલે રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના પ્રાંકડ અને વણાકપોર ગામ વચ્ચે માર્ગ અકસ્માતમાં બાઈક સવાર 2 વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. બનાવની જાણ થતાં જ રાજપારડી પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેકટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, બાઇક સવારોને કયા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે.

Tags:    

Similar News