ભરૂચ: ચકલાદગામે ઘર વિહોણાને જંબુસરના ધારાસભ્યના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરાયું...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામે ઘર વિહોણા લોકોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Update: 2023-01-22 13:25 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામે ઘર વિહોણા લોકોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર ઉપસ્થિત રહી સ્થળ ઉપર જ ઘર વિહોણા ગામલોકોને પ્લોટની સનદ ઉપર સહી કરી આપી હતી. જેથી ગરીબ ઘર વિહોણા મજૂરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ તાલુકા પંચાયત લેન્ડ કમિટી દ્વારા 20થી વધુ ગરીબ મજૂરોના પ્લોટ મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આમોદ-જંબુસર વિસ્તારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં ચકલાદ ગામે ગરીબ મજૂરોને પ્લોટના સનદની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ સહિત આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડો. પ્રવિણસિંહ રાઉલજી, યુવા મોરચા પ્રમુખ વિરાજસિંહ રાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News