વડોદરા : દેવદિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી 286 વર્ષ જૂની પરંપરા બદલાય, ભગવાન નરસિંહજીની શોભાયાત્રા આજે નીકળી...

દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.

Update: 2022-11-07 12:59 GMT

વડોદરા શહેરના એમ.જી. રોડ પર આવેલ નરસિંહજીની પોળમાંથી ભગવાન નરસિંહજીનો વરઘોડો આજે બપોર બાદ નીકળ્યો હતો. દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે. ભગવાનનો વરઘોડો દેવ દિવાળીએ નીકળતો હોવાની જૂની પરંપરા છે. આજે વહેલી સવારથી જ ભક્તજનો પ્રભુના ચરણસ્પર્શ અને ચાંદલા વિધિ કરવા માટે કીડિયારાની જેમ ઉભરાયા હતા.

ભક્તજનો નજીકમાં જ બિરાજીત નાના નરસિંહ ભગવાનના પણ દર્શન કરી ચાંદલા વિધિ સહિત ચરણ સ્પર્શનો લાભ લઈ ધન્ય થયા હતા. બપોર સુધીમાં 50 હજાર જેટલા ભક્તજનોએ શ્રીજીના ચરણસ્પર્શનો લાભ લીધો હતો. ભગવાનને ચાંદલા વિધિ સહિત ચરણસ્પર્શનો લ્હાવો વર્ષમાં એક વાર આજે જ મળે છે. બપોરે 3 કલાકે બેન્ડ-વાજાના તાલે, શરણાઈની સુરાવલી વચ્ચે નીકળેલી શોભાયાત્રા દરમ્યાન વેશભૂષામાં સજજ બાળકો આકર્ષણ રૂપ બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પૂર્વના રાજ્યોમાં ચંદ્રગ્રહણની શરૂઆત બપોરે 2.38 કલાકે, જ્યારે ગુજરાતમાં સાજે 5.55 કલાકથી ચંદ્રગ્રહણનો પ્રારંભ થશે. જેના કારણે તમામ મંદિરો, વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં મંગળવારના રોજ માત્ર સવારની પૂજા અને ભોગ થશે.

Tags:    

Similar News