અમદાવાદ : મનીષ સિસોદિયાનો આવતીકાલથી પ્રચંડ પ્રચાર, 6 દિવસની કરશે યાત્રા...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે.

Update: 2022-09-20 11:46 GMT

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 6 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. મનીષ સિસોદિયા સાબરમતી ગાંધી આશ્રમથી ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની યાત્રાનો પ્રારંભ કરાવશે.

"બસ, હવે પરિવર્તન જોઈએ..." થીમ પર આમ આદમી પાર્ટી દ્વારા 6 દિવસ સુધી યાત્રા યોજાશે. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુધી પહોંચવા માટે હવે, ત્યાં ફરી એકવાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સીએમ મનીષ સિસોદિયા આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ આવશે અને રાત્રે અમદાવાદમાં હોટલમાં રોકાણ કરશે. આવતીકાલે તા. 21 સપ્ટેમ્બરથી સાબરમતી આશ્રમથી બાપુ ના દર્શન કરી ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરશે. તા. 21 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં યાત્રા કરશે. બસ હવે પરિવર્તન જોઈએ થીમ પર ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ યાત્રા અને સભા ગજવશે...

Tags:    

Similar News