ભરૂચ: ઝઘડિયાના તરસાલી ગામે મકાનમાં આગ લાગતા 9 લોકો દાઝી જવાનો મામલો,MLA રિતેશ વસાવાએ પીડિત પરિવારની લીધી મુલાકાત

Update: 2023-02-06 11:15 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે થોડા દિવસ પેહલા આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં આખેઆખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આ બનાવમાં 9 ઈસમો દાઝ્યા હતાં, ગંભીર રીતે દાઝી ગયેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.ઘરમાં રહેલો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ જતા તેમજ નવ ઈસમો ગંભીર રીતે દાઝી જતા પરિવાર સહિત ગ્રામજનોમાં માતમ છવાયું હતું

જે સંદર્ભે આજરોજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ અને મુસ્લિમ આગેવાન ઈમ્તિયાઝ અલી સૈયદે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. આગેવાનો દ્વારા પીડિત પરિવારને સહાયની ખાતરી આપવામાં આવી છે

Tags:    

Similar News