ભાવનગર : મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરી પાલીતાણાના સામાજિક આગેવાને સેવાનો ભેખ જાળવ્યો...

ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની અને ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પિતાજીનું દુઃખદ અવસાન થતાં ચક્ષુદાન અને દેહદાન કરવા અંગે નિર્ણય લઈ પરિવારે સમાજનું ઋણ ચૂકવ્યું છે.

Update: 2022-05-21 15:17 GMT

ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની અને ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પિતાજીનું દુઃખદ અવસાન થતાં ચક્ષુદાન અને દેહદાન કરવા અંગે નિર્ણય લઈ પરિવારે સમાજનું ઋણ ચૂકવ્યું છે.

આપણે ત્યાં લોકો મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરતાં હોય છે. પરંતુ પાલીતાણાના સામાજિક આગેવાન વલ્લભભાઇ શિહોરાએ આ બન્ને કાર્ય કરીને મૃત્યુ બાદ પણ સેવાનો ભેખ જાળવી રાખ્યો છે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામ શિહોરાના પિતા વલ્લભભાઈ શિહોરાનું અવસાન થયું હતું. જેને લઇને પરિવારના સંકલ્પને લઈને દેહદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેઓની દેહદાન યાત્રા સાંજે કાઢવામાં આવી હતી, ત્યારે ચક્ષુદાન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પાલીતાણાની સામાજિક સંસ્થાઓ અને રેડ ક્રોસ સોસાયટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતી.

Tags:    

Similar News