ભાવનગર : હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલ સૈનિકોને બી.એમ.કોમર્સના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પી

વિદ્યાર્થીઓએ ભારતમાતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કરીને શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

Update: 2021-12-11 10:36 GMT

ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલી બી.એમ.કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલા 13 શહિદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિદ્યાર્થીઓએ ભારતમાતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કરીને શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિદ્યાર્થીઓએ તેમજ શાળાના સમગ્ર પરિવાર દ્વારા 2 મિનીટનું મૌન પાળવામાં આવ્યું.

ભારતના વીર યોદ્ધા CDS જનરલ બિપિન રાવત સહિત 13 શહિદોને બીએમ કૉમર્સ હાઈસ્કૂલ શાળાના પટાંગણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના વીર સપૂત અને ભારતના ત્રણે પાંખના વડા CDS જનરલ બીપીન રાવતનું આકસ્મિક નિધન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તામીલનાડુના કુન્નુર વિસ્તાર ઉપર હેલીકોપ્ટર ક્રેશ થતા સૈન્યના ઉચ્ચ અધિકારી સાથે ભારતના CDS જનરલ બિપિન રાવત સહિતના સૈનિકોનું નિધન થતા તેમના આત્માની શાંતિ અર્થે બી.એમ.કૉમર્સના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા શાળાના સમગ્ર પરિવાર દ્વારા 2 મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ તકે શાળાના એનસીસી ઓફિસર રણજીત પરમારે તમામ 13 શહીદો વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા.

Tags:    

Similar News