મોરબીની ગોઝારી ઘટના, એક જ ઘરમાં આવી 7 અર્થી, દ્રશ્યો નિહાળી કાળજુ કંપી ઉઠશે

મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ગોઝારી દુઃખદ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શેરી વિસ્તારમાં રહેતા શાહમદાર પરિવારના 7 સભ્યનાં દુઃખદ અવસાન થયા છે.

Update: 2022-10-31 14:28 GMT

મોરબીમાં માતામનો માહોલ

એક જ પરિવારના સાત લોકોના મોત

પરિવારજનોમાં આક્રંદ

મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ગોઝારી દુઃખદ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શેરી વિસ્તારમાં રહેતા શાહમદાર પરિવારના 7 સભ્યનાં દુઃખદ અવસાન થયા છે. પરિવારના 8 સભ્ય એકસાથે ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા અને તેમાંથી એક મહિલા સિવાય તમામ 7 સભ્યોનાં મોત નીપજતાં પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

આજે એકસાથે 7 મૃતદેહ ઘરમાં આવતાં પરિવારજનોમાં હૈયાફાટ રુદનનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. બચી ગયેલી મહિલાએ હૈયાફાટ રુદન કરતાં કહ્યું હતું કે 'હું બધાને ફરવા લઇ ગઈ હતી અને હું એક જ બચી શકી, મારી દીકરી પણ મને છોડીને જતી રહી'.શાહમદાર પરિવાર એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર છે અને તેમની દીકરી જામનગરથી આવી હતી. તેઓ ઘરના 8 લોકો સાથે ઝૂલતા પુલ પર ફરવા જવા નક્કી કર્યું હતું. પુલ તૂટતાં શાહમદાર પરિવારનાં 5 બાળકો સહિત 7 લોકો મોતને ભેટ્યા, જ્યારે એક મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર આવ્યું છે, જેઓ એક કલાક સુધી પુલ પર દોરડું પકડી ટીંગાઈ રહ્યાં હતાં અને બાદમાં રેસ્ક્યૂ ટીમે આવી તેમનું રેસ્ક્યુ કર્યું હતું.

Tags:    

Similar News