વડોદરા : દંતેશ્વર વિસ્તારમાં બાઇક ચાલકની સરેઆમ ઘાતકી હત્યાથી ચકચાર, પોલીસે તપાસ આરંભી

Update: 2022-04-19 14:36 GMT

મળતી માહિત અનુસાર, વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા 47 વર્ષીય સુનિલ નાગર વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળ જેસીબી મશીન ચલાવતા હતા. મંગળવારે બપોરના સુમારે તેઓ પોતાના બાઈક ઉપર દંતેશ્વર વિસ્તારના પ્રતાપનગરથી બંસલ મોલ તરફના માર્ગ ઉપર જઈ રહ્યા હતા. તે દરમ્યાન પાડોશી હુમલાખોરે સુનિલ નાગર ઉપર સરેઆમ પાઇપના ફટકા મારી ઘાતકી હુમલો કર્યો હતો, ત્યારે ગંભીર ઇજાના પગલે સુનિલ નાગરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સમગ્ર બનાવની જાણ થતા જ મૃતકનો ભાઈ હિતેશ નાગર અને મકરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપીને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટનાના પગલે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સરાજાહેર હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. તો બીજી તરફ શહેરમાં વધતાં દુષ્કર્મ, હત્યા, લૂંટફાટ સહિતના ગંભીર ગુન્હાઓ ડામવા પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે, ત્યારે હાલ તો મકરપુરા પોલીસે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા આરોપીની સઘન પૂછતાછ શરૂ કરી છે.

Tags:    

Similar News