વલસાડ : ભરૂચના પરિવારને નડ્યો અકસ્માત, 2 બાળકો સહિત માતાનું મોત

વલસાડના ગુંદલાવ બ્રિજ ઉપર ભરૂચ શહેરના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 માસૂમ બાળકો અને માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

Update: 2021-06-14 04:36 GMT

વલસાડના ગુંદલાવ બ્રિજ ઉપર ભરૂચ શહેરના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 માસૂમ બાળકો અને માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વલસાડમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 8 પર મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ભરૂચના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. વલસાડ નજીક આવેલ ગુંદલાવ બ્રિજ ઉપર ગત રવિવારની રાત્રિએ GJ-16-CB-3512 નંબરની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે કારમાં સવાર ભરૂચ શહેરના પરિવારનો માળો વિખેરાય ગયો હતો. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘાટના સ્થળે દોડી આવ્યો હતો.

વલસાડ નજીક સર્જાયેલ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ભરૂચના એક જ પરિવારના 3 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેમાં 2 માસૂમ બાળકો અને તેમની માતાનો સમાવેશ થાય છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, ત્યારે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડ પર ખસેડી વાહન વ્યવહારને રાબેતા મુજબ કરાયો હતો. હાલ તો અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Tags:    

Similar News