લખનઉની ધરા ધણધણી ભૂકંપના આંચકાએ 5 માળની બિલ્ડિંગને કરી જમીનદોસ્ત અનેક લોકો દટાયા
લખનઉમાં આવેલા ભૂકંપને પગલે 5 માળની રહેણાંકની એક બિલ્ડિંગ તૂટી પડતાં તેમાં 24 લોકો દટાયા
દિલ્હીમાં આવેલા ભૂકંપની છેક યુપી સુધી અસર પડી હતી. ભૂકંપને પગલે લખનઉમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. લખનઉમાં વઝીર હસનગંજ રોડ પર એક રહેણાંક મકાન ધરાશાયી થયું હતું. આ અકસ્માતમાં 24થી વધુ લોકો ફસાયા હતા જેમાંથી અત્યાર સુધી 3થી વધુ લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે...
આ સાથે જ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ભૂકંપના કારણે આ બિલ્ડિંગ ધરાશાયી થવાની આશંકા છે. આ ઘટના લખનઉના હઝરતગંજ વિસ્તારમાં વઝીર હસન રોડ પર બની હતી અને આ બિલ્ડિંગ જૂની હોવાનું કહેવાય છે...