વડાપ્રધાન આજે દેશને બે નવી રેલ્વે લાઇન સમર્પિત કરશે, કલ્યાણથી CST સુધીની મુસાફરી થશે સરળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ્વે લાઈનો રાષ્ટ્રને સમર્પિત કરશે.

Update: 2022-02-18 08:00 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ્વે લાઈનો રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ગુરુવારે જ આ માહિતી આપી હતી. આ મુજબ વડાપ્રધાન મોદી મુંબઈ ઉપનગરીય રેલવેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે.

આ પછી આ પ્રસંગે તેમનું સંબોધન પણ આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોદી 18 ફેબ્રુઆરીના રોજ સાંજે 4.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇન દેશને સમર્પિત કરશે. જારી કરાયેલા નિવેદન મુજબ કલ્યાણ મધ્ય રેલવેનું મુખ્ય જંક્શન છે. દેશના ઉત્તર અને દક્ષિણ ભાગમાંથી આવતો ટ્રાફિક કલ્યાણથી જોડાય છે અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSTM) તરફ જાય છે.

કલ્યાણ અને CSTM વચ્ચેના ચાર રેલ માર્ગોમાંથી, બે ટ્રેકનો ઉપયોગ ધીમી લોકલ ટ્રેનો માટે અને બે ટ્રેકનો ઝડપી લોકલ, મેલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેનો માટે ઉપયોગ થતો હતો. ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોને અલગ કરવા માટે બે વધારાની લાઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ લાઇન લગભગ રૂ. 620 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે અને તેમાં 1.4 કિમી લાંબો રેલ ફ્લાયઓવર, ત્રણ મોટા પુલ, 21 નાના પુલનો સમાવેશ થાય છે. આ લાઈનો મોટાભાગે મુંબઈમાં લાંબા અંતરની ટ્રેનના ટ્રાફિક તેમજ ઉપનગરીય ટ્રેન ટ્રાફિકના વિક્ષેપને દૂર કરશે. આ સાથે શહેરમાં 36 નવી સબર્બન ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

Tags:    

Similar News