ચલણી નોટ પરના ફોટાને લઇ રાજકારણ ગરમાયું, કેજરીવાલ અને કોંગ્રેસ બાદ હવે BSPએ કરી આ માંગ

ચલણી નોટ પરના ફોટાને લઇ રાજકારણ ગરમાયું, કેજરીવાલ અને કોંગ્રેસ બાદ હવે BSPએ કરી આ માંગ

Update: 2022-10-27 06:13 GMT

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ નોટો પર ફોટાની માંગ તેજ થઈ ગઈ છે.તેમણે નોટો પર મા લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર લગાવવાની માંગ કરી હતી.જે બાદ કોંગ્રેસ નેતા મનીષ તિવારી નું નિવેદન આવ્યું છે. હવે આ મામલે બસપા દ્વારા નવી માંગણી કરવામાં આવી છે.

આપ કન્વીનર અરવિંદ કેજરીવાલની માંગ બાદ હવે બસપા ચીફ માયાવતીના ભત્રીજા આકાશ આનંદે બુધવારે એક ટ્વીટમાં નોટો પરના ફોટા લઈને નવી માંગણી કરી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા નિર્ધારિત અને હિલ્ટન યંગ કમિશન સમક્ષ રજૂ કરાયેલ માર્ગદર્શિકા મુજબ, 1 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અસ્તિત્વમાં આવી હતી. તેથી જો ભારતીય ચલણ પર કોઈની તસવીર હોવી જોઈએ તો તે બાબાસાહેબની તસવીર હોવી જોઈએ કેજરીવાલે સૌપ્રથમ કહ્યું હતું કે, "દિવાળીની પૂજા દરમિયાન મનમાં એક લાગણી આવી કે, ભારતીય ચલણ પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની તસવીર હોવી જોઈએ. જોકે હું એમ નથી કહેતો કે આવું કરવાથી માત્ર સુધારો થશે. અર્થવ્યવસ્થા, તેના માટે ઘણાં પગલાં ની જરૂર છે. પરંતુ તે પગલાંનું ફળ ત્યારે જ મળે છે જ્યારે દેવી-દેવતાઓના આશીર્વાદ હોય. આ પછી કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પણ ટ્વીટ કરીને માંગ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, "નવી નોટ ની શ્રેણી પર શા માટે ડૉ આંબેડકર ની તસવીર નથી ? એક તરફ મહાન મહાત્મા અને બીજી તરફ ડૉ. આંબેડકર. અહિંસા, બંધારણવાદ અને સમાનતાવાદ એક અનોખા સંઘમાં ભળી રહ્યા છે જે સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. આધુનિક ભારતીય પ્રતિભા સાથે જોડાશે

Tags:    

Similar News