રાષ્ટ્રપતિ કોવિંદે મુંબઈમાં દરબાર હોલનું કર્યું ઉદ્ઘાટન, લતા મંગેશકરને કર્યા યાદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે મુંબઈમાં રાજભવનમાં નવા દરબાર હોલનું ઉદ્ઘાટન કર્યું.

Update: 2022-02-11 11:19 GMT

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે મુંબઈમાં રાજભવનમાં નવા દરબાર હોલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સ્વરા કોકિલા લતા મંગેશકરને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે લતા દીદીના ગીતો અમર છે, જે સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કરતા રહેશે.

વધુમાં કહ્યું કે લતા દીદી સાદગીથી જીવતા હતા, તેઓ શાંત સ્વભાવના હતા. તેની સ્મૃતિ આપણા મનમાં રહેશે. તેમનું નિધન મારા માટે અંગત ખોટ છે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ કોવિંદ તેમની ચાર દિવસીય મહારાષ્ટ્ર મુલાકાતે છે. રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા દરબાર હોલમાં એક સાથે 750 લોકો બેસી શકે છે. આ હોલનું ઉદઘાટન ગયા વર્ષે જ થવાનું હતું, પરંતુ તે જ દિવસે CDS જનરલ બિપિન રાવતનું નિધન થયું, જેના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો.

Tags:    

Similar News