નવસારી: અજાણ્યા ઇસમ દ્વારા કરાઇ મોટા પત્થર વડે કરી મહીલાની હત્યા

Update: 2019-02-17 09:50 GMT

આજ વિસ્તારમાં આ બીજી ઘટના બનતા પંથકના લોકોમાં આક્રોશ સાથે ગભરાટ

નવસારી જિલ્લામાં પણ હત્યાના બનાવોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારની ગણદેવી તાલુકાની ખાપરવાળા ગામની મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. હત્યા થતા બીલીમોરા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે.

નવસારી જિલ્લાના બીલીમોરા પંથકમાં આવેલ પોસરીગામેથી વહેલી સવારે હસુમતિ નામની મહિલા પોતાની માતાને જોરાવાસણ રેલવે સ્ટેશને મુકવા જવા ખાપરવાડાના માર્ગે પસાર થઈને માતાને રેલવે સ્ટેશન મુકવા ગઈ હતી અને પરત વળતા માર્ગમાં કોઈ અજાણ્યા ઈસમે મહિલાને માથાના ભાગે મોટા પથ્થર મારીને નિર્દોષ મહિલાને મોતને ઘાટ ઉતારીને ફરાર થયો છે. મહિલાની મોતની ખબર વાયુવેગે પ્રસરતા પરિવારમાં શોકની લાગણી ફેલાય છે. પોલીસે સમગ્ર મામલે ઘટનાસ્થળે જઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહિલાનો પરિવાર આઘાતમાં સરી પડતા મહિલાની હત્યા અંગે અનેક શંકાઓ સેવી રહ્યાં છે.

મૃતક મહિલાના પ્રથમ વિવાહ જિલ્લાના વાસણ ગામે થયા હતા અન્ય કારણોસર વિવાહમાં છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ જેસપોર ગામે લગ્ન થયા હતા. જે સંસાર સુખી ચાલતો હતો અને તેમાં પાંચ મહિનાથી પોતાના પિયર પોંસરી ગામે આ મહિલા આવી હતી અને રોજિંદાક્રમે માતાને વહેલી સવારે રેલવે સ્ટેશન મુકવા આવતી હતી. આ તમામ પાસાઓ પોલીસે નોંધી હત્યારો કોણ હશે તેની તપાસ કરવા અનેક લોકોના નિવેદનો લઇ રહી છે.

૮ વર્ષ પેહલા ખાપરવાળાની એક દીકરી વહેલી સવારે નર્સિંગ કોર્ષ માટે જોરાવાસણ ના રેલવે સ્ટેશન જતી હતી. તે દરમ્યાન ઝાડીમાં કોઈ અજાણ્યા ઈસમે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી હતી. જે હત્યા નો ભેદ ન ઉકેલાતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ રેલીઓ કાઢીને આક્રોશ પણ વ્યકત કર્યો હતો. તેમ છતાં હત્યારો પોલીસ પકડ થી હજૂ દૂર રહયો છે અને એજ વિસ્તારમાં હત્યાની આ બીજી ઘટના બનતા પંથકના લોકોમાં આક્રોશ સાથે ગભરાટ વ્યાપ્યો છે. ત્યારે મહિલાના હત્યારાને પોલીસ ઝડપી ઝડપે એવી માંગ પણ ઉઠી છે.

Tags:    

Similar News