સાંત્વની ત્રિવેદી અને મલ્હાર ઠાકર કચ્છના નાનાં રણમાં જોવાયા, શું કહેવા માંગે છે બન્ને?

Update: 2021-03-04 12:59 GMT

ગુજરાતના જાણીતા સિંગર સાંતવની ત્રિવેદી અને મલ્હાર ઠાકર હાલમાં જ કચ્છના રણમાં દેખાયા હતા. બંને કચ્છના રણમાં ફરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ કે બંને ત્યાં શું કરી રહ્યા છે? જો કે સાંત્વની એ તેમના સોશ્યલ મીડિયા પર અમુક ફોટો પણ શેર કર્યા હતા અને તે કચ્છના રણમાં શૉ કરી રહી હતી. જો કે અમુક સોશ્યલ મીડિયા પેજ પર બંનેના ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ બંને કલાકારો દ્વારા હજુ કોઈ પણ પ્રકારની ચોકસાઇ કરવામાં આવી નથી. જો કે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે સાંત્વની ત્રિવેદી અને મલ્હાર ઠાકર કચ્છના રણમાં શું કરી રહ્યા છે.

સાંત્વની ત્રિવેદી ગુજરાતના જાણીતા સિંગર છે જેમને લોકગીતોને અલગ અંદાજમાં ઢાળીને ગુજરાતભરમાંથી લોકપ્રિયતા મેળવી છે. તેમના ગીતો વા વાયાને વાદલડી, ઊંચી તલાવડી, રૂપાની જાંજરી, વ્હાલનો દરિયો, વેરી વરસાદ, મારુ મન મોહી ગયું જેવા ઘણા લોકપ્રિય ગીતો ગાયા છે. આ ઉપરાંત સાંતવનીના આવનારા સમયમાં ઘણા ઓરિજિનલ આલ્બમ સોંગ આવી રહ્યા છે. જ્યારે મલ્હાર ઠાકરે ગુજરાતી સિનેમામાં છેલ્લો દિવસ અર્બન ગુજરાતી ફિલ્મ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ તેમણે કેશ ઓન ડિલિવરી, સાહેબ, શરતો લાગુ અને ગોળકેરી જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. જ્યારે મલ્હાર આવનારા સમયમાં વિકીડા નો વરઘોડો, કેસરિયો અને ધૂઆધાર ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત આવનારા સમયમાં એક ગુજરાતી વેબસીરિઝમાં પણ જોવા મળશે.

Tags:    

Similar News