સુરતઃ પત્નીની હત્યા કર્યા બાદ પતિએ કર્યો આપઘાત, પોલીસ તપાસમાં થશે ચોંકાવનારા ખુલાસા !

સુરતના હજીરા વિસ્તારમાં આવેલ સુવાળી ગામમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

Update: 2022-04-08 08:43 GMT

સુરતના હજીરા વિસ્તારમાં આવેલ સુવાળી ગામમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

સુરતના છેવાડે આવેલા હજીરા વિસ્તારના સુવાલી ગામ રહેતા મૂળ છત્તીસગઢના પતિ-પત્ની રોજીરોટીની તલાશમાં થોડા સમય પહેલાં સુરત આવ્યા હતા. આજે પતિ-પત્ની ઘરમાં હતા અને દરવાજો ન ખુલતા પાડોશીએ દરવાજો ખોલતા પત્ની જમીન પર અને પતિ ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આ મામલે તપાસ શરૂ કરતાં પતિ અને પત્નીનો કોઇ બાબતે ઝઘડો થતાં પતિએ પત્નીની હત્યા કરી પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

નોકરીનો સમય હોવાને કારણે તેના પડોશી તેને બોલાવી રહ્યો હતો પરંતુ અનિલ સાહુએ ઘરનો દરવાજો ખોલતા પડોશીએ દરવાજો ખોલી દીધો હતો. અગમ્ય કારણસર પતિ અનિલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. તેની પત્ની ભારતીનો મૃતદેહ જમીન ઉપર જ પડેલો હતો જેના પરથી તારણ કાઢવામાં આવી રહ્યું છે કે પહેલા પત્ની ને માર્યા બાદ પતિએ આપઘાત કરી લીધો હશે.

Tags:    

Similar News