વડોદરા : રૂ. 30 હજાર ઉધાર નહીં આપતા કારેલીબાગના યુવકની હત્યા, હત્યારાની અમદાવાદથી ધરપકડ...

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન નજીક અજાણ્યા શખ્સે યુવકને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી

Update: 2024-02-09 11:15 GMT

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન નજીક અજાણ્યા શખ્સે યુવકને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી, ત્યારે આ મામલે પોલીસે હત્યારની અમદાવાદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હથ ધરી છે.

વડોદરાના કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. ઘટનાને લઈ કારેલીબાગ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તો બીજી તરફ, ઝોન-4ના DCP પન્ના મોમાયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, પોલીસ પહોંચે એ પહેલાં લોહી લૂહાણ હાલતમાં ઘટના સ્થળે જ યુવકે જીવ છોડી દીધો હતો. આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ આ હત્યા કોણે કરી અને કયાં કારણોસર કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને આરોપી સુધી પહોચવામાં સફળતા મળી છે. વડોદરા પોલીસે હત્યાના આરોપી ગુલઝારને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. હત્યારા ગુલઝારે મૃતક પાસેથી 10 દિવસ અગાઉ 30 હજાર રૂપિયા ઉધાર માંગતા મૃતક નિઝામે ગુલઝારને લાફો માર્યો હતો. જેની અદાવત રાખી ગુલઝારે રેકી કરી નિઝામની હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી ગુલઝાર ભાડે રીક્ષા ચલાવે છે, અને તે દેવામાં ડૂબી જતાં પૈસા માંગતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તો બીજી તરફ, નિઝામની હત્યા કરવા માટે ગુલઝારને સોપારી પણ આપવામાં આવી હતી. જેથી ગુલઝારની લોન પુરી કરવા તેના જ મિત્રએ લાલચ આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Tags:    

Similar News