વડોદરા: બરોડા ડેરીના પ્રમુખ બન્યા સતિષ નિશાળીયા, ઉપપ્રમુખનો તાજ ક્રિપાલસિંહ રાઉલજીના શિરે

Update: 2023-04-13 11:51 GMT

વડોદરામાં કાર્યરત બરોડા ડેરી મધ્યગુજરાતના પશુપાલકો માટે મહત્વ ધરાવે છે ત્યારે બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતિષ નિશાળીયાની વરણી કરવામાં આવી છે વડોદરામાં કાર્યરત બરોડા ડેરી મધ્યગુજરાતના પશુપાલકો માટે મહત્વ ધરાવે છે. તાજેતરમાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીના સંચાલકો દ્વારા મોટા ગોટાળા કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવતા ડેરીનું રાજકારણ ગરમાયું હતું.

વિવાદ વકરતા ડેરીના કાર્યકારી પ્રમુખ તરીકે જી. બી. સોલંકીએ રાજીનામું આપ્યું હતું. જે બાદથી બરોડા ડેરીના પ્રમુખ પદનો તાજ કોના શિરે જશે તેને લઇને અનેક અટકળો જોવા મળી હતી. જો કે, બીજી તરફ જી. બી. સોલંકીના રાજીનામાના અસરામાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. અને તેની જગ્યાએ નવા પ્રમુખ પદ પર સતીષ નિશાળીયાની નિમણુંક કરવામાં આવી હતી.

Tags:    

Similar News