અંકલેશ્વર માઁ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરની કુમાર પાળ ગાંધી બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કુમાર પાળ બ્લડ બેન્કનાં સહયોગ થી યોજાયેલ રક્તદાન શિબિરમાં રક્તદાત્તાઓએ રક્તદાન કરીને રક્તદાન શ્રેષ્ઠ દાનનો મહિમા ઉજાગર કર્યો હતો.
આ પ્રસંગે માઁ શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટનાં રિતુબહેન પ્રજાપતિ, માયાબહેન, પ્રિયંકાબહેન, મીનાબહેન, સુધાબહેન, કીર્તિબહેન સહિતના સભ્યો અને કુમાર પાળ બ્લડ બેન્કનાં કર્મચારીઓએ સેવા આપી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.