ભરૂચ : પાલેજ નજીક સુરત તરફ જતી લકઝરી બસ પલટી, 10 મુસાફરો ઘવાયાં

Update: 2020-08-05 07:56 GMT

ભરૂચ જિલ્લાના પાલેજ પાસે સુરત તરફ જતી લકઝરી બસ પલટી જતાં 10 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પૈકી ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

કોરોના વાયરસના કહેર વચ્ચે ધીમે ધીમે જનજીવનની ગાડી પાટ પર આવી રહી છે ત્યારે નેશનલ હાઇવે પર વાહનોની અવરજવર પણ વધી છે. બુધવારે મળસ્કે સુરત તરફ જઇ રહેલી ખાનગી લકઝરી બસના ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ પલટી મારી ગઇ હતી. બસમાં સવાર મુસાફરોની બુમરાણથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આસપાસથી દોડી આવેલાં લોકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢી તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને ભરૂચ સિવિલમાં લાવવામાં આવ્યાં હતાં. અકસ્માતનો આ બનાવ કીયા ગામ પાસે બન્યો હતો.

Tags:    

Similar News