ભરૂચ : ભોટનગરમાં ખેડૂતને વીજકરંટ લાગતા કરૂણ મોત નીપજ્યું

Update: 2021-03-07 11:17 GMT

મળતી માહિતી મુજબ રાજપારડી રોડ ઉપર આવેલ ભોટનગર ગામના ખેડૂત ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે, પોતાના વડપાન ગામની સીમમાં આવેલા ખેતરમાં જીઇબીના ટીસી ઉપર આકસ્મીત વીજકરંટ લાગતા હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા કરૂણ મોત નિપજ્યું હતું, બનાવની જાણ પરીવારના સભ્યો અને આજુબાજુ રહીશોને થતા જ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા પરીવારના મોભીનું આકાસ્મિત મોત થતાં શોક વ્યાપી જવા પામ્યો હતો, આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

Tags:    

Similar News