વલસાડઃ તામછડીમાં તળાવ ઉંડા કરવાની કામગીરી, લોકોને ઘરઆંગણે રોજગારી

Update: 2018-05-23 12:21 GMT

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ કામગીરી ચાલી રહી છે. જે પૈકી ધરમપુર તાલુકાના તામછડી ગામે મનરેગા યોજના હેઠળ નવું તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ગામના ૯૬ જેટલા શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. આ તળાવ બનવાથી ગામના કૂવા અને બોરમાં પાણીના તળ ઊંચા આવવાથી ઊનાળામાં પડતી પાણીની મુશ્કેલીનું ચોક્કસ નિવારણ થશે. આમ જળસંચય થકી શ્રમિકોને ઘરઆંગણે રોજગારીની તક સાંપડી છે.

 

Tags:    

Similar News