Connect Gujarat
Featured

અંકલેશ્વર: રાજપીપળા રોડ પર આવેલ સોસાયટીમાંથી થઈ 3 બાઈકની ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વર: રાજપીપળા રોડ પર આવેલ સોસાયટીમાંથી થઈ 3 બાઈકની ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઈ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નજીક રાજપીપળા રોડ ઉપર આવેલ વૈષ્ણુદેવી સોસાયટીમાં અરુણ રામદિનેશ પટેલે પોતાની બાઇક નંબર-જી.જે.16.સી.જે.4291 ઘર પાસે પાર્ક કરી હતી તે દરમિયાન ગત તારીખ-29 સપ્ટેમ્બરના રોજ વાહન ચોર ટોળકી ત્રાટકી હતી અને બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો આવી જ રીતે આ સોસાયટીમાંથી હૈદર અલી અન્સારીની બાઇક નંબર-જી.જે.16.સી.જી.6137 અને પ્રિયંકલ યાદવની અને બાઇક નંબર-જી.જે.16.સી.પી.4846 મળી કુલ 1.20 લાખની ત્રણ બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બાઇક ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story