Home > Featured > અંકલેશ્વર : 17મીએ ઘરેથી લાપત્તા બનેલી સગીરા મળી, તેની સાથે જે બન્યું તે અકલ્પનિય છે
અંકલેશ્વર : 17મીએ ઘરેથી લાપત્તા બનેલી સગીરા મળી, તેની સાથે જે બન્યું તે અકલ્પનિય છે
BY Connect Gujarat21 Nov 2020 11:36 AM GMT
X
Connect Gujarat21 Nov 2020 11:36 AM GMT
અંકલેશ્વરમાંથી તારીખ 17મીના રોજ ગુમ થયેલી સગીરા આખરે મળી આવી છે પણ તેની સાથે જે ઘટના બની છે તે સાંભળી તમે કંપી ઉઠશો. યુવતીના મિત્રએ તેના અન્ય સાગરિતો સાથે મળી સગીરાને નશો કરાવી શારીરીક અડપલા કર્યા હોવાનો આક્ષેપ સગીરાએ કર્યો છે.
અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી સગીરા તારીખ 17મીના રોજ તેના ઘરેથી ગુમ થઇ ગઇ હતી. સગીરા ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી અને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન અચાનક સગીરા મળી આવી હતી અને તે તેના મિત્રના ઘરે બર્થ ડે પાર્ટીમાં ગઇ હતી. જયાં અન્ય ચાર યુવાનો પણ હાજર હતાં. પાંચેય યુવાનોએ તેને નશાકારક વસ્તુ પીવડાવી દીધી હતી. નશાની હાલતમાં પાંચેય યુવાનોએ તેની સાથે શારીરીક અડપલા કર્યા હતાં. સગીરાની કેફીયત બાદ પોલીસે પાંચેય આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story