Connect Gujarat
Featured

અંકલેશ્વર: જેના પર હતો યુવાનની હત્યાનો આરોપ એનો જ મૃતદેહ મળ્યો નર્મદા નદીમાંથી, શું કિન્નરે કરી બન્નેની હત્યા?

અંકલેશ્વર: જેના પર હતો યુવાનની હત્યાનો આરોપ એનો જ મૃતદેહ મળ્યો નર્મદા નદીમાંથી, શું કિન્નરે કરી બન્નેની હત્યા?
X

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામ નજીક રૂપિયા 1 લાખની લેતીદેતીમાં નર્મદા નદી કિનારે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યાના મામલામાં નવો જ વળાંક આવ્યો છે. યુવાનની હત્યા કરનાર આરોપીનો પણ નર્મદા નદીમાથી મૃતદેહ મળી આવ્યા બાદ બન્ને યુવાનોની હત્યા એક કિન્નરે કરી હોવાના આક્ષેપથી સનસનાટી મચી જવા પામી છે.

અંકલેશ્વરના ચકચારી અનુપમ દાસ હત્યા પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છે. હત્યાનો જેના પર આરોપ હતો એ જ હર્ષ પટેલનો પણ નર્મદા નદીમાથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક આવેલ દગા ફળિયામાં રહેતા 23 વર્ષીય અનુપમ દાસનો સરફુદ્દીન ગામ નજીક આવેલ નર્મદા નદી કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો જેમાં મૃતકે તેના મિત્ર અને હવેલી ફળિયામાં રહેતા હર્ષ પટેલને રેલવેમાં નોકરી લગાડવામાં માટે આપેલ રૂપિયા 1 લાખ પરત માંગતા હર્ષ પટેલે કાવતરું રચી અનુપમની હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોધાઈ હતી ત્યારે પોલીસ હર્ષ પટેલની શોધખોળ કરી રહી હતી જો કે ઘટનાના 6 દિવસ બાદ હર્ષ પટેલનો ભરૂચના કસક વિસ્તાર નજીક નર્મદા નદીમાથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

પરિવારજનોએ પહોચી હર્ષ પટેલની ઓળખ કરી હતી અને સનસનાટી ભર્યા આક્ષેપ કર્યા હતા. મૃતક હર્ષ પટેલના મામા જિતેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર હર્ષ પટેલ પર હત્યાનો આરોપ જ ખોટો છે. હર્ષ અને અનુપમ બન્નેની હત્યા અલ્પેશ ઉર્ફે રાધા નામના કિન્નરે કરી છે. હકીકતમાં 1 લાખ રૂપિયા રાધા નામની કિન્નરને આપ્યા હતા જે આપવા ન પડે માટે તેણે જ બન્ને મિત્રોની હત્યા કરી છે.

આ તરફ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે તપાસના અંતે ખબર પડશે કે હત્યા કોણે કરી છે.બે બે નવ યુવાનોના અકાળે મોતે સમગ્ર અંકલેશ્વરમાં ચકચાર મચાવી છે ત્યારે આ મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ક્યારે ઊંચકાઇ છે એ જોવું રહ્યું.

Next Story