Home > Featured > અંકલેશ્વર: નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી માટે દાવેદારોનો રાફડો ફાટયો, જુઓ કેટલા લોકોએ નોધાવી દાવેદારી
અંકલેશ્વર: નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી માટે દાવેદારોનો રાફડો ફાટયો, જુઓ કેટલા લોકોએ નોધાવી દાવેદારી
BY Connect Gujarat26 Jan 2021 11:29 AM GMT
X
Connect Gujarat26 Jan 2021 11:29 AM GMT
અંકલેશ્વર નગર સેવા સદનના 9 વોર્ડની 36 બેઠકો માટે 125થી વધુ લોકોએ દાવેદારી નોધાવી છે ત્યારે આજરોજ પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા.
રાજયમાં પંચાયતીરાજના સોથી મોટા લોકઉત્સવ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અંકલેશ્વર નગર સેવા સદન્ની ચુંટણીમાં ઉમેદવારોના નામ માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચૌટા નાકા નજીક આવેલ ધારાસભ્ય કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી.
જેમાં પ્રદેશ નિરીક્ષક તરીકે નિયુક્ત જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, ઉપ પ્રમુખ દક્ષાબહેન પટેલ અને પૂર્વ ઉપ પ્રમુખ ચંદન વસાવાએ દાવેદારોને સાંભળ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદનના 9 વોર્ડની 36 બેઠકો માટે 125થી વધુ લોકોએ દાવેદારી નોધાવી છે ત્યારે કોને ટિકિટ મળે છે એ જોવું રહ્યું.
Next Story