Connect Gujarat
Featured

ભરૂચ: અયોધ્યાનગરમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો, જુઓ કારણ

ભરૂચ: અયોધ્યાનગરમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો, જુઓ કારણ
X

ભરૂચના અયોધ્યાનગરમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે ત્યારે પ્રશ્નનું નિરાકરણ નહીં તો વોટ નહીંની સ્થાનિકો ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 4માં આવેલ અયોધ્યાનગરમાં નર્કાગાર જેવી પરિસ્થિતીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અયોધ્યાનગરમાં ભર શિયાળે પણ ચોમાસા જેવો દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેનું કારણ છે ઉભરાતી ગટર. આ જગ્યા નિંચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી ગટર વારંવાર ઉભરાઇ છે અને ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળે છે.

જેનાથી સ્થાનિકોએ ગંદકી વચ્ચે રહેવાનો વારો આવે છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર નગર પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે આમ છતા તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણીમાં પ્રશ્નનું નિરાકરણ નહીં તો વોટ નહીંની સ્થાનિકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

Next Story