ભરૂચ : જરૂરીયાતમંદોને અનાજની કીટનું વિતરણ, સેવાયજ્ઞ સમિતિ ખાતે યોજાયો કાર્યક્રમ
BY Connect Gujarat13 Sep 2020 7:36 AM GMT
X
Connect Gujarat13 Sep 2020 7:36 AM GMT
દેશમાં લોકડાઉન બાદ ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે ભરૂચના પુષ્પમ ગૃપ તરફથી જરૂરીયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરાયું હતું.
કોરોના વાયરસના કહેરના કારણે દેશમાં બે મહિનાના લોકડાઉનની ફરજ પડી હતી. લોકડાઉનના કારણે ધંધા- રોજગાર બંધ થતાં ગરીબ લોકોની હાલત કફોડી બની છે. જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાના આશય સાથે ભરૂચના પુષ્પમ ગૃપ તરફથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલની પાછળ આવેલાં સેવાયજ્ઞ સમિતિના કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં 170 જેટલી કીટ ગરીબ લોકોને આપવામાં આવી હતી.
Next Story