ભરૂચ : વાગરાના પાલડી ગામના ખેડુતોનો સિંચાઇ વિભાગ સામે રોષ, જુઓ કેમ ?

New Update
ભરૂચ : વાગરાના પાલડી ગામના ખેડુતોનો સિંચાઇ વિભાગ સામે રોષ, જુઓ કેમ ?

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાલડી ગામનાં ખેડૂતો નહેરમાં પાણી નહિ આવતા પાયમાલ બને તેવી સ્થિતિમાં આવી ગયાં છે. કેનાલોના રીપેરીંગના નામે વેઠ ઉતારવામાં આવી હોવાની ફરીયાદ ખેડુતો કરી રહયાં છે.

વાગરા તાલુકાના પાલડી ગામની આશરે 400 એકર જમીનમાં વાવેતર કરવામાં આવેલો પાક પાણી વિના સુકાઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડુતોને સિંચાઇ કરવા માટે પાણી મળી રહે તે માટે કેનાલ બનાવવામાં તો આવી છે પણ તેનું રીપેરીંગ કરવામાં નહિ આવતાં ખેડુતો સિંચાઇના પાણીથી વંચિત રહી ગયાં છે. કેશવાણ ગામથી પાલડી સુધી નહેર બનાવાય છે પણ પાણી વિના તે સુકીભઠ લાગી રહી છે. નહેર તુટી ગઇ હોવાથી તેના રીપેરીંગની જરૂરીયાત છે પણ નહેર વિભાગે માત્ર માટી નાંખી લીપાપોતી કરી દીધી છે. કેનાલમાં પાણી છોડવામાં આવે તો માટી ધોવાય જાય તેવો ખતરો રહેલો છે. સ્થાનિક ખેડુતોએ  જણાવ્યું હતું તેમજ આ નહેરમાં મોટા ઝાડી- ઝાંખરા ઉગી નીકળ્યાં છે જેને કાપવામાં પણ આવતાં નથી. જો અમને સિંચાઇ માટે પાણી નહિ મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Read the Next Article

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે કર્યા નિયુક્ત

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું.

New Update
aiff

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું. 13 વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીયને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય અને હાલમાં ઇન્ડિયન સુપર લીગ ટીમ જમશેદપુર FCના મેનેજર 48 વર્ષીય જમીલને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ત્રણ સભ્યોની યાદીમાંથી પસંદ કરવામાં આવ્યા છે. અન્ય બે દાવેદારોમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન અને સ્ટેફન ટારકોવિક હતા. સ્ટેફન અગાઉ સ્લોવાકિયા રાષ્ટ્રીય ટીમના કોચ હતા.

મહાન સ્ટ્રાઈકર IM વિજયનના નેતૃત્વ હેઠળની AIFF ટેકનિકલ કમિટીએ એક્ઝિક્યુટિવ કમિટીના અંતિમ નિર્ણય માટે ત્રણ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા. જમીલ સ્પેનના મનોલો માર્કેઝનું સ્થાન લેશે, જેમણે ભારતના તાજેતરના સંઘર્ષો પછી ગયા મહિને AIFFથી અલગ થઈ ગયા હતા. રાષ્ટ્રીય પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપનારા છેલ્લા ભારતીય સેવિયો મેડેઇરા હતા, જેમણે 2011 થી 2012 સુધી આ પદ સંભાળ્યું હતું. નવી ભૂમિકામાં જમીલનું પહેલું કાર્ય સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશન (CAFA) નેશન્સ કપ હશે, જે 29 ઓગસ્ટથી તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં રમાશે.

કુવૈતમાં જન્મેલા 49 વર્ષીય ખાલિદ જમીલે ખેલાડી તરીકે (2005માં મહિન્દ્રા યુનાઇટેડ સાથે) અને કોચ તરીકે (2017માં આઈઝોલ એફસી સાથે) ભારતના ટોચના ડિવિઝન ટાઇટલ જીત્યા છે. તેમણે સતત બે વર્ષ (2023-24, 2024-25) માટે AIFF દ્વારા મેન્સ કોચ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. હવે એ જોવું રોમાંચક રહેશે કે તેઓ ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કેટલું સારું કામ કરે છે. તેઓ ઇન્ડિયન સુપર લીગના પ્રથમ કોચ પણ છે.