Connect Gujarat
Featured

ભરૂચ: નેત્રંગના અરેઠી ગામે પત્નીના આડાસબંધની શંકાએ પતિએ કુહાડીથી કર્યો હુમલો, પસ્તાવો થતાં પતિએ શું કર્યું વાંચો

ભરૂચ: નેત્રંગના અરેઠી ગામે પત્નીના આડાસબંધની શંકાએ પતિએ કુહાડીથી કર્યો હુમલો, પસ્તાવો થતાં પતિએ શું કર્યું વાંચો
X

નેત્રંગ તાલુકાના અરેઠી ગામે રહેતા ગણેશ વસાવા અને તેમની પત્ની સુશીલા વસાવા રાત્રીના સમયે પોતાના નિત્યક્રમ મુજબ ભોજન કરી ઘરના ઓટલા પર પથારી કરીને સુતા હતા. દરમ્યાન મધ્યરાત્રીએ ગણેશ વસાવાએ પોતાની પત્નીને નિદ્રામાંથી ઉઠાડી પત્નીના અન્ય પુરુષ સાથે આડાસંબંધના વહેમમાં તેની પર કુહાડીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા અને ત્યાથી ફરાર થઈ ગયો હતો . બનાવની જાણ પાડોશીઓને થતાં લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલ પત્નીને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

આ તરફ પત્ની પર કુહાડી વડે હુમલો કરનાર પતિનો મૃતદેહ આજે સવારે ગામની સિમમાંથી મળી આવ્યો હતો. પતિ ગણેશ વસાવાએ ગામની સીમમાં વૃક્ષ સાથે ગળેફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો

પોતાની પત્નીના આડાસંબંધની શંકાએ પતિએ કુહાડી વડે હુમલો કરીને ફરાર થઇ ગયો હતો,અને પોતનાની પત્નીને મારી નાખવાની સજા મને મળશે તેવી મનમાં શંકા રાખીને પોતાના જ ગામના મહુડા ઝાડ સાથે ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પતિએ કયા કારણથી આપઘાત કર્યો એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પત્ની પર હુમલા બાદ તેને પસ્તાવો થતાં મોતને વ્હાલું કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે

Next Story