/connect-gujarat/media/post_banners/72605f6ee202f2c51da7d0e4d8341fed4dc1e16fc6caca0e5e48d26d3ec70ce9.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાંથી ઝડપાયેલ શંકાસ્પદ ભંગારના મામલામાં વધુ 3 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર, ગત તા. 2જી ડિસેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી જૂની એસ.એસ.ની સાપ્ટીંગ, લોખંડના ચક્કર, એસ.એસ. કપ્લર અને અન્ય કીમતી ધાતુઓ મળી રૂ. 1 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અગાઉ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જોકે, તે દરમિયાન આ શંકાસ્પદ ભંગારના મામલામાં પોલીસે વધુ 3 આરોપીઓની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે.