Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : છેલ્લા 5 વર્ષથી પેટમાં ચપ્પુ સાથે જીવતો યુવાન, એક્સ-રે રિપોર્ટ જોતાં તબીબો પણ ચોંકી ઉઠ્યા..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના એક યુવાનના પેટમાં છેલ્લા 5 વર્ષથી ચપ્પુ હોવાનું સામે આવતા તબીબો પણ ચોંકી ઉઠ્યા છે,

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના એક યુવાનના પેટમાં છેલ્લા 5 વર્ષથી ચપ્પુ હોવાનું સામે આવતા તબીબો પણ ચોંકી ઉઠ્યા છે, ત્યારે આગામી દિવસોમાં યુવાનના પેટમાંથી ઓપરેશન કરી ચપ્પુ બહાર કાઢવામાં આવશે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે એક યુવાન છેલ્લા 5 વર્ષથી પેટમાં ચપ્પુ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે. અચંબામાં પાડી દેનાર આ કિસ્સાની હકીકત એવી છે કે, આજથી 5 વર્ષ પહેલા અંકલેશ્વર ગાર્ડન સીટીમાં એક વિવાદ સર્જાયો હતો. જેમાં અતુલ ગીરી નામનો યુવાન વચ્ચે પડ્યો હતો. આ ઘટનામાં તેને પેટમાં ઇજા પોહચતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયો હતો, જ્યાં જે તે સમયના તબીબે તેને બહારથી તપાસી દવાઓ આપી તમે વહેલા સાજા થઈ જશો તેમ કહી મોકલી આપ્યો હતો. આ દરમિયાન વચ્ચે વચ્ચે તેને પેટમાં દુઃખાવો થયા કરતો હતો. થોડા સમય બાદ અતુલગીરી ફરી અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતા પેટમાં વર્ષોથી દુઃખવાની સમસ્યા તબીબને કહી હતી. યુવાનનો ફૂલ બોડી ચેકઅપ કરતા તેના પેટનો એક્સ-રે રિપોર્ટમાં યુવાનના પેટમાં ચપ્પુ જોતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા, ત્યારે હવે આગામી 2-3 દિવસમાં યુવાનનું ઓપરેશન કરી પેટમાં છેલ્લા 5 વર્ષથી રહેલ ચપ્પુને બહાર કાઢવામાં આવશે. તો બીજી તરફ, ભોગ બનનાર યુવાને અપીલ કરતાં જણાવ્યુ હતું કે, કોઈપણ દર્દી તબીબ પાસે આવે ત્યારે તબીબ તેનો ઉપરથી જ ચેકઅપ ન કરે. પણ જરૂર જણાય તો એક્સ-રે અને સોનોગ્રાફી રિપોર્ટ કઢાવી યોગ્ય સારવાર આપે. જેથી તેની સાથે તબીબની નિષ્કાળજીથી ઘટેલી ઘટના અને 5 વર્ષથી વેઠવી પડતી પીડા અન્ય કોઈને ન ભોગવી પડે.

Next Story