Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત હાલતમાં મળ્યો,હત્યાની આશંકા

અંકલેશ્વરની સાયોના કેર કંપનીમાંથી ગુમ કર્મચારીનો મૃતદેહ સાત દિવસે કંપની નજીક ઊંડા ખાડામાંથી વિકૃત હાલતમાં મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે.

અંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત હાલતમાં મળ્યો,હત્યાની આશંકા
X

અંકલેશ્વરની સાયોના કોપકેર કંપનીમાંથી ગુમ કર્મચારીનો મૃતદેહ સાત દિવસે કંપની નજીક ઊંડા ખાડામાંથી વિકૃત હાલતમાં મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે.

મૂળ અમરેલીના અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વેલ સમર્થ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો 23 વર્ષીય અક્ષર રમેશ કાનાણી ગત તારીખ-30મી એપ્રિલના રોજ સવારે 8 કલાકે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સાયોના કોપકેર કંપનીમાંથી છૂટ્યા બાદ ગુમ થયો હતો જે યુવાન કર્મચારીનો મૃતદેહ કંપનીના બાજુમાં આવેલ ઊંડા ખાડામાંથી ગતરોજ રાતે વિકૃત હાલતમાં મળી આવ્યો હતો બનાવની જાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને એલસીબી પોલીસ અને એફ.એસ.એલની ટીમની મદદ વડે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરી તેને ફોરેન્સીક લેબમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે યુવાનની હત્યા થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

Next Story