Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કાપોદ્રા નજીક ખાડીમાં ન્હાવા પડેલા 2 બાળકોનું ડૂબી જવાથી મોત, પરિવારમાં માતમ છવાયો

બાકરોલ ગામ વચ્ચેથી પસાર થતી ખાડીમાં ન્હાવા પડતા 2 બાળકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા

અંકલેશ્વર : કાપોદ્રા નજીક ખાડીમાં ન્હાવા પડેલા 2 બાળકોનું ડૂબી જવાથી મોત, પરિવારમાં માતમ છવાયો
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા કાપોદ્રા અને બાકરોલ ગામ વચ્ચેથી પસાર થતી ખાડીમાં ન્હાવા પડતા 2 બાળકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી નજીકમાં રહેલા કેટલાક યુવાનોની મદદથી બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા-બાકરોલ ગામ રોડ પર આવેલ નોબલ માર્કેટ નજીકના કોમ્પલેક્ષમાં રહેતા પરપ્રાંતીય તરુણો કાપોદ્રા-બાકરોલ ગામ વચ્ચે બ્રિજ નજીક ખાડીમાં ન્હાવા માટે નિપજ્યા હતા.

તે દરમ્યાન બન્ને બાળકો પાણીમાં અચાનક ગરકાવ થઈ ગયા હતા. જે વાત વાયુવેગે કાપોદ્રા ગામ તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં ફેલાતા પરિવારના સભ્યો તેમજ લોક ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં બન્ને બાળકોને સ્થાનિકોની મદદ લઈ ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને બચાવવા માટે લોકોએ પ્રાથમિક ઉપચાર કર્યા હતા. જોકે, બન્ને બાળકોને લોકો બચાવી શક્યા ન હતા. ત્યારબાદ પરિવારજનો બન્ને બાળકોને લઇને ઘરે પહોંચ્યા હતા. જોકે, ઘટના અંગે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું. તેમજ બન્ને બાળકોની વિગત આપવાનો પણ સાફ ઇન્કાર કર્યો હતો, ત્યારે હાલ તો બન્ને બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

Next Story