ભરૂચ : 108 એમ્બયુલન્સના કર્મચારીઓ દીપાવલીના પર્વમાં પણ "On Duty"

ભરૂચ જિલ્લામાં દિપાવલીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી

New Update

પ્રકાશના મહાપર્વ દિપાવલીને આપણે સૌ કોઇ આનંદથી ઉજવી શકીએ અને કોઇ પણ અનિચ્છનીય બનાવ બને ત્યારે ઝડપથી મદદ મળી રહે તે માટે 108 એમ્બયુલન્સ સેવાના કર્મચારીઓ સતત ફરજ બજાવી રહયાં છે....

ભરૂચ જિલ્લામાં દિપાવલીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવારોમાં ખાસ કરીને આગ લાગવાના તેમજ ફટાકડાના કારણે દાઝવાના બનાવો બનતાં હોય છે. રાજય સરકારે 108 એમ્બયુલન્સ સેવામાં ફરજ બજાવતાં કર્મચારીઓની દિવાળીની રજાઓ રદ કરી દીધી હતી જેમાં ભરૂચના 90 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. પરિવારથી ભલે દુર હોય પણ 108ના કર્મચારીઓએ તેમના લોકેશન પર દિવાળીની ઉજવણી કરી. કર્મચારીઓએ ફરજના સ્થળે રંગોળી બનાવી હતી તથા દીવડાઓનો શણગાર કર્યો હતો. ભરૂચના પોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ડીસ્ટ્રીકટ ઓફિસર અશોક મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ 108 એમ્બયુલન્સ વિવિધ લોકેશન પર તૈનાત છે..

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories