ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા ગામે સેવારૂરલ સંસ્થા દ્વારા કુમારશાળા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
સેન્ચુરી એન્કા લીમીટેડ રાજશ્રી પોલીફિલના સૌજન્યથી ઝઘડિયા સેવારૂરલ દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk21 Aug 2023 7:18 AM GMT
X
Connect Gujarat Desk21 Aug 2023 7:18 AM GMT
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા ગામ ખાતે સેન્ચુરી એન્કા લીમીટેડ રાજશ્રી પોલીફિલના સૌજન્યથી ઝઘડિયા સેવારૂરલ દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજિત કેમ્પમાં ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલના તબીબોએ ૨૩૧ આંખની વિવિધ સમસ્યા વાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને ૪૦ જેટલા મોતિયાના ઑપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને સેવારૂરલ કસ્તુરબા હોસ્પિટલ ખાતે બોલાવી નિશુલ્ક ઑપરેશનની વ્યવસ્થા કરવામાં આવશે.તદઉપરાંત ૧૬૧ ચશ્માની જરૂરિયાતવાળા આંખના નંબર તપાસીને ચશ્મા આપવમાં આવ્યા હતા. નેત્રનિદાન કેમ્પનો ઉમલ્લા અને ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોના ૨૩૧ દર્દીઓએ લાભ લીધો હતો.
Next Story