ભરૂચ: અંકલેશ્વર તાલુકા ભાજપના યુવા મોરચાના હોદ્દેદારોની વરણી
BY Connect Gujarat29 July 2021 6:35 AM GMT
X
Connect Gujarat29 July 2021 7:03 AM GMT
ગુજરાત પ્રદેશ ભારતીય જાણતા પાર્ટી દ્વારા રાજ્યના જિલ્લાઓમાં વિવિધ મોરચાની સંરચના કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા ભાજપના યુવા મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
રાજ્યના સહકાર પ્રધાન અને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ડો.નિતેન્દ્રસિંહ સાથે સંકલન કરી અંકલેશ્વર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે વૈકુંઠ પટેલની વરણી કરવામાં આવી છે તો ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ માટીએડા, વિકાસ પટેલ અને મહામંત્રી તરીકે અંકિત પટેલની વરણી કરવામાં આવી છે. નવ નિયુક્ત હોદ્દેદારોને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.
Next Story