ભરૂચ: પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો
શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
BY Connect Gujarat22 April 2023 10:13 AM GMT
X
Connect Gujarat22 April 2023 10:13 AM GMT
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ મંદિરે શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના દાંડિયાબજાર સ્થિત ભૃગુઋષિ મંદિરે શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત,શ્રી પરશુરામ સંગઠન દ્વારા નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી જનરલ ઓપીડી, ચામડીના રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર,થાઇરોઇડ હરસ,મસા,ભગંદરની સારવાર નિષ્ણાત તબીબો દ્વારા આપવામાં આવી હતી.જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.આ પ્રસંગે આરોગ્ય શાખા જિલ્લાપંચાયતના કર્મચારીઓ અને પરશુરામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story