Connect Gujarat
ભરૂચ

ભરૂચ: એસટી મજદૂર સંઘ દ્વારા રક્તદાન શિબિર યોજાય, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું રક્તદાન

ભરૂચ એસટી સંઘ દ્વારા આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

X

ભરૂચ એસટી સંઘ દ્વારા આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

ભરૂચ એસટી સંઘ દ્વારા ગુજરાત એસટી મજદૂર સંઘના કાર્યકારી અધ્યક્ષ મહેશ વેકેરિયા એસટી મજદૂર સંઘના કાર્યક્રમમાં અમરેલી ખાતે ગયા હતા જ્યાં તેમનું હ્રદય રોગના હુમલાના કારણે નિધન થયુ હતું. તેઓની માસિક પુણ્યતિથિ નિમિતે શ્રધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે ગુજરતાભરના એસટી ડિવિઝનોમાં મજદૂર સંઘ દ્વારા રક્તદાન એ જ મહાદાનના હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરી મૃતક રાજુ વેકેરિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ રકદાન શિબિરમાં ભરૂચ એસટી મજદૂર સંઘના પ્રમુખ નવીત પરમાર સહિતના હોદેદારો,સભ્યો સહિત મોટી સંખ્યામાં એસટી વિભાગના કર્મચારીઓએ ભાગ લઈ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Next Story